પ્રધાનમંત્રી જન-ધન યોજના
હેતુ: બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટકાર્ડ, બેંકિગ સર્વિસ, થાપણ, નાણાની લેવડ-દેવડ, વીમો, પેનશન વગેરે પૂરી પાડવાનો છે. ઉપરાંત પ્રધાનમંત્રી જન-ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે.
યોગ્યતા: ૧૦ વર્ષથી વધુ વય ધરાવતી કોઇ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે.

આ યોજના ના ફાયદાઓ નીચે મુજબ છે:
કુલ જમા રાશિ ઉપર વ્યાજ
એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ
કોઇ ન્યુનતમ બેલેન્સની જરૂર નથી, તેમ છતાંય, રૂપે કાર્ડની મદદથી રકમ, ઉપાડવા માટે થોડી રકમ જમા રાખવામાં આવે એ હિતાવહ છે.
રૂ.૩૦,૦૦૦ નું જીવન વીમા કવચ.
સમગ્ર ભારત ભરમાં સહેલાઇથી રકમ ટ્રાન્સફર થઇ શકશે.
સરકારી યોજનાના લાભાર્થીઓને તેમના આ ખાતામાં સીધી લાભો જમા કરવામાં
આવશે.
૬ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ-દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે.
પેનશન તથા વીમાની સુવિધા
કાર્યપદ્ધતિ:
પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં માટે નીચે મુજબનાં દસ્તાવેજ જરૂરી છે.
આધારકાર્ડ હોય, તો બીજા દસ્તાવેજની જરૂર નથી.
અરજદાર નું સરનામું બદલાઇ ગયું હોય તો હાલના સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે.
જો આધારકોર્ડ ન હોય તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઇપણ એક જરૂરી છે.
- ઓળખપત્ર
- ડ્રાયવિંગ લાયસન્સ
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- નરેગા કાર્ડ
નોંધ : આ દસ્તાવેજોમાં જો અરજદારનું સરનામું હોય, તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે કાર્ચ કરશે.
• જો કોઇપણ વ્યક્તિ પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્વારા ઓછા જોખમ વાળા વર્ગ માટે ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરેલ પત્ર જેમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલ હોય તેવા કોઇપણ દસ્તાવેજથી ખાતું ખોલાવી શકે છે.