સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાનો ઉદ્દેશ
1.સ્વચ્છતા અને સ્વાસ્થયને ઉત્તેજન આપીને અને ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ કરાવી ગ્રામીણ વિસ્તારોમાં જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો.
2.૨ ઓકટોબર, ૨૦૧૯ સુધીમાં સ્વચ્છ ભારત હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતાને આવરી લેવી .
3.સલામત અને ટકાઉ સ્વચ્છતા માટે ઓછી ખર્ચાળ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું
4.ગ્રામિણ વિસ્તારોમાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલની વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત સમુદાય વ્યવસ્થાવાળી પદ્ધતિઓ વિકસાવવી
5.સ્વચ્છતા બાબતે માનસિક બદલાવ લાવવા માટે લોકજાગૃતિ કેળવવી.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના
પાત્રતાના ધોરણો
1.વર્ષ: ૨૦૧૨માં શૌચાલય વિહોણા કુટુંબોના બેઝલાઈન સર્વેમાં નોધાયેલા તમામ બીપીએલ કુટુંબો
2.એપીએલ કેટેગરી પૈકી નિયત કૃોલિ વિગતેના પાંચ કેટેગરીવાળા કુટુંબો અનુસૂચિત જાતિના કુટુંબો જનજાતિના કુટુંબો
3.વર્ષ: ૨૦૧૨ માં શૌચાલય વિહોણા બેઝલાઇન સર્વેમાં નોંધાયેલ તમામ
4.નાના અને સિમાંત ખેડૂતોના કુટુંબો
5.જમીન વિહોણા ખેતમજુર કુટુંબો
6.મહિલા કુટુંબના વડા હોય તેવા કુટુંબો
7.કુટુંબના વડા અપંગ હોય તેવા કુટુંબો
વિવિધ સરકારી ભરતી અને યોજનાઓ તથા અન્ય સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ GUJGOVTJOBS સાથે જોડાયેલ રહો.
યોજનાના ફાયદા/સહાય
1.લોક માનસમાં પરિવર્તન લાવી અસ્વચ્છતાલક્ષી સ્થિતિમાં એકંદરે સુધારો લાવવો.
2.ઘર આંગણે શૌચાલય હોવાથી દૂર ચાલીને ન જવું પડે તેમજ તડકામાં, વરસાદમાં, શિયાળાની ઠંડીમાં હેરાન ન થવું પડે .
3.ઘરના બાળકો, વૃદ્ધ, અપંગ તથા માંદા માણસોને સરળતા રહે .
4.મહિલાઓ અને દિકરીઓ તેમજ સગર્ભા બહેનો માટે આશીર્વાદ સમાન, જેથી તેમનું માન તથા આબરૂ જળવાઇ રહે .
5.માખી, મચ્છરથી ફેલાતા રોગોમાં ઝાડા, કોલેરા, ટાઇફોઇડ અને કરમીયા જેવા રોગોથી બચી શકાય.
6.બાળકોમાં સ્વચ્છતાલક્ષી સંસ્કારોનું સિંચન.
પ્રક્રિયા
1.લાભાર્થી કુટુંબોએ વ્યક્તિગત શૌચાલય માટે પ્રોત્સાહક સહાય મેળવવા ગ્રામ પંચાયતે અરજી કરવી.
2.તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ ગ્રામ પંચાયત દ્વારા ભલામણ થઇ આવેલ અરજીઓ મંજૂર કરવી.
3.લાભાર્થી કુટુંબ દ્વારા વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ પૂર્ણ કરવું .
4.વ્યક્તિગત શૌચાલયના બાંધકામની કામગીરી પૂર્ણ થયા લાભાર્થી દ્વારા પંચાયતને કરવાની રહેશે.
5.પૂર્ણ થયેલ શૌચાલયની ચકાસણી તાલુકા જીલ્લા એન્જીનીયર દ્વારા કરાવી તેમના પ્રમાણપત્રના આધારે તાલુકા વિકાસ અધિકારીને દરખાસ્ત કરાવીને લાભાર્થીને પ્રોત્સાહક સહાય ચુકવવા માટેની કાર્યવાહી.

અમલીકરણ કરતી કરચેરી/એજન્સી/સંસ્થા
1.જીલ્લા કક્ષાએ; જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી
2.તાલુકા કક્ષાએઃ તાલુકા પંચાયત
3.ગ્રામ્ય કક્ષાએ : ગ્રામ પંચાયત