Videsh Abhyas Loan
સરકાર દ્વારા નિપુણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસ માટે સમાજના વિવિધ વિભાગો, નિગમો દ્વારા આર્થિક સહાય આપવા માટે લોન યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકેલ છે. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને એક વર્ષ કે તેથી વધુ સમય અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના ડિપ્લોમા, સ્નાતક(ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), P.H.D સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે લોન રૂપે મદદ કરવામાં આવે છે. આજે આપણે આ આર્ટિકલમાં બિન અનામત આયોગ દ્વારા આપવામાં આવતી Videsh Abhyas Loan વિશે જાણીશું.
Videsh Abhyas Loan યોજના નો ઉદ્દેશ
તેજસ્વી અને નિપુણ વિદ્યાર્થીઓને IIM,CEPT,JEE અને NLU જેવી પરિક્ષા પાસ કરીને વિદેશમાં જઈને વધુ આગળ અભ્યાસ કરવા માટેની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન ની સહાય આપવામાં આવે છે.
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આવા ધોરણ-12માં 60% કે તેથી વધુ માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે ની વિદેશ અભ્યાસ માટે લોન ની સહાય આપવામાં આવે છે.
નિપુણ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ₹.15.00 લાખ સુધીની લોન ફક્ત 4% ના સાદા વ્યાજે આપવામાં આવે છે.
લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી 12 માસ પછીથી પરત લેવાની શરૂઆત કરવામાં આવશે.

વિદેશ અભ્યાસ લોન કોને મળશે
Videsh Abhyas Loan માટે નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ગુજરાત બીન અનામત આયોગ દ્વારા સહાય આપવામાં આવશે.
- વિદ્યાર્થીએ ધોરણ 12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ.
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં 15 વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિઓના તેજસ્વી વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને જ મળવાપાત્ર થશે.
- ધોરણ 12માં 60% એટલે ધોરણ 12ના તમામ વિષયના કુલ ગુણમાંથી મેળવેલ ગુણના 60% (પર્સેન્ટાઇલ નહિ) પ્રાપ્ત થયેલા હોવા જોઇશે.
- લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની માલિકીની લોનની રકમ કરતા દોઢ ગણી જેટલી રકમની મિલકત સરકાર પક્ષે ગીરો મુકવાની રહેશે.
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6.00 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
કેટલી લોન મળવાપાત્ર
બિનઅનામત વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે સરકાર દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય કરવામાં આવે છે.
- જેમાં લોનની રકમ: મહત્તમ રૂપિયા 15.00 લાખ સુધીની લોન
- વ્યાજ દર : વાર્ષિક ફક્ત 4% લેખે સાદુ વ્યાજ
વિદેશ અભ્યાસ લોન માટે જરૂરી પુરાવાઓ
આ લોન માટે વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા નિયત કરેલા ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. જે નીચે મુજબ છે.
- શાળા છોડ્યાનો દાખલો (લિવીંગ સર્ટીફીકેટ)
- રહેઠાણનો પુરાવો
- કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર
- ધોરણ-10 અને ધોરણ-12 ની માર્કશીટ/ડીપ્લોમા સર્ટી
- બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
- આધાર કાર્ડ રેશનકાર્ડ
- ધોરણ-12 /સ્નાતક થયાથી અરજીની તારીખ વચ્ચે અભ્યાસ કરેલ હોય તો તે અંગેનો આધાર (જો હોય તો)
- વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં સ્નાતક/અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર રજુ કરવાનો રહેશે.
- સ્નાતક કક્ષાના તેમજ ત્યાર બાદના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટની નકલ.
- વિદ્યાર્થીના પિતાનું I.T. રીટર્ન (computation) /સ્વઘોષણા પત્ર
- પ્રતિ વર્ષ ભરવાની થતી/ભરેલી ફીનો પુરાવો અને સમગ્ર કોર્ષની ફીનું માળખું રજુ કરવાનું રહેશે.
- પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી (મિલકતના ફોટા સહિત) અને મિલકતના આધારો સહિત અરજી કરવાની રહે.
- મિલકતનું ટાઈટલ ક્લીયર સર્ટી જોડવાનું રહેશે વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર (કોર્સના સમયગાળાના ઉલ્લેખ સાથે) એડમિશન લેટર અંગ્રેજી ભાષા સિવાયનો હોવો જોઈએ, પ્રવેશપત્ર અંગ્રેજી ભાષામાં હોય તો લેટરનું અંગ્રેજી ભાષાંતર નોટરાઇઝડ કરાવી રજુ કરવું
- વાલી/પિતાની મિલકત ગીરો કરવાનું સંમતિ પત્ર (પરિશિષ્ટ-1 મુજબ)
- લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક (પરિશિષ્ટ-2 મુજબ)
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેક.
- પાસપોર્ટ જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગતાનું મેડિકલ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- એર ટિકિટ અભ્યાસ માટે મળેલ વિઝા
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
અરજદાર દ્વારા વિદેશ અભ્યાસ અર્થે વિદેશમાં ગયાના 06 મહિના સુધીમાં E SAMAJ KALYAN PORTAL પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
નીચે મુજબના સ્ટેપ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી કરી શકશે.
STEP-1 LOGIN
- અરજદારે સૌ પ્રથમ ગુગલ સર્ચમાં gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે જેથી E SAMAJ KALYAN PORTAL નું પેજ ખુલશે.
- નવા ખુલેલા પેજમાં ઈમેજમાં દર્શાવ્યા મુજબ નિગમના બોક્ષ પર ક્લીક કરીને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ પસંદ કરવાનું રહેશે.

STEP-2 REGISTRATION
- અરજદાર જો આ પોર્ટલ પર પ્રથમવાર અરજી કરતા હોય તો તેઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે.
- રજીસ્ટ્શેનની પ્રકીયા પુરી થયા બાદ અરજદારને પોતાના મોબાઈલમાં યુઝર આઈ.ડી અને પાસવર્ડ SMS દ્વારા મોકલાવમાં આવે છે.
- મળેલ યુઝર આઈ.ડી અને પાસવર્ડથી E SAMAJ KALYAN PORTAL પર લોગીન થવાનું રહેશે.
- લોગીન થયા બાદ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓનું લીસ્ટ ખુલશે તેમાંથી વિદેશ અભ્યાસ લોન યોજના પસંદ કરવાનું રહેશે.

STEP- 3 ONLINE APPLICATION
- ત્યાર બાદ નવા ખુલેલ પેજમાં અરજદારે વ્યક્તિગત માહિતી નામ, સરનામું, મોબાઈલ નંબર નાંખીને પોતાનો તાજેતરનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
- ત્યાર બાદ હાલના તથા કાયમી સરનામાની વિગતો નાંખીને Save & Next પર ક્લિક કરવાનું રહેશે.
- આગળના સ્ટેપમાં અરજદારે અરજીની વિગતોમાં બીન અનામત વર્ગના પ્રમાણપત્રનો નંબર અને તારીખ તથા વાર્ષિક આવકની વિગતો તથા અભ્યાસક્રમની વિગતો ચકાસીને નાંખી તે SAVE & NEXT પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
- આગળના સ્ટેપમાં અરજદારના મિકલતના અધારો તથા બેંક ખાતાની વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ આગળના સ્ટેપમાં અરજદારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને ત્યાર બાદ નીચે બાંહેધરી પત્રકની વિગતો વાંચીને સહમતી આપ્યા બાદ SAVE APPLICATION પર ક્લિક કરવાનું રહેશે.
- અરજી સેવ કરીને કન્ફર્મ કરવાની રહેશે.
- અરજી કન્ફર્મ કર્યા બાદ આપને ઓનલાઈન અરજી નંબર આપવામાં આવશે.
- આગળની પ્રોસેસ માટે ઓનલાઈન અરજી નંબર સાચવીને રાખવાનો રહેશે. અને આપ અહીંથી ભરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પણ કાઢી શકો છો.
ઓનલાઈન અરજી કર્યા બાદની પ્રોસેસ
- બિન અનામત આયોગ દ્ધારા અરજી મંજૂર થયેથી અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરીને તેનું અરજદારના જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવાઓ 30 (ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
- અરજી મંજુર થયેલ અરજીઓના તમામ ડોક્યુમેન્ટ નિગમને મળ્યા ૫છી નિગમ દ્ધારા લોનની રકમ મંજુર કરી લાભાર્થીના બેંક ખાતામાં DBT થી આપયેલ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
- અરજદારે અરજી મંજુર થયેથી ગીરોખત દસ્તાવેજો રજુ કરવાના રહેશે. અરજદાર દ્વારા બિન અનામત આયોગની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા) સહી કરેલા ચેક રજુ કરવાના રહેશે.
લોનની પરત ચુકવણી કેવી રીતે કરવી
આ યોજના હેઠળ અરજદારને મહત્તમ ₹.15.00 લાખ સુધીની લોન આપવાની જોગવાઈ છે. અરજદારને જરૂરિયાત મુજબની લોન મળ્યા બાદ નીચે મુજબની પરત ચુકવણી કરી શકે છે.
- રૂપિયા 5.00 લાખ સુધીની કુલ લોન લીધેલ હોય તો અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 5 (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોન ચુકવવાની રહેશે.
- ચુકવણી થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ બાબતે જમા લેવાનાં રેહેશે.
- રૂપિયા 5.00 લાખ લાખથી વધુની લોન લીધેલ હોય તો અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 6 (છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
- લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની ચુકવણી કરી શકે તેવી જોગવાઈ કરેલ છે.